॥ શ્રી જાનકી વલ્લભો વિજયતે ॥
॥ જય વિહળાનાથ ॥
આજરોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૩ ને શનિવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં બોટાદ જીલ્લા કક્ષા ના ૭૪ મો વનમહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં જગ્યા મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય ભયલુબાપુ, ગુજરાત રાજ્ય ભાજપ સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી ગાર્ડી પોપટ ગણપત રાવ સાહેબ – નાયબ વન સંરક્ષક મોનિટરીંગ ગાંધીનગર, શ્રી આયુષ વર્મા સાહેબ- નાયબ વન સંરક્ષક બોટાદ , બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી સાહેબ , બોટાદ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા , બોટાદ માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન શ્રી છનાભાઈ કેરાળિયા, રાણપુર એપીએમસી ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ, મહામંત્રી શ્રી જામસંગભાઈ અને ખુબ મોટી સંખ્યામા ઠાકર ના સેવકો હાજર રહ્યા હતા ત્યારબાદ સૌ એ વૃક્ષારોપણ કરી ઠાકર ના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી.
અહેવાલ કનુભાઈ ખાચર