સુરતમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથાના પાંચમા દિવસે ભવ્ય અન્નકૂટ ઉજવાયો, ઘરે બનાવેલી 3482 kg સુખડી સહિત 334 પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી
સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનાં પાંચમા દિવસે ગ્રાઉન્ડમાં 80 હજારથી વધુ લોકો આવ્યા હતા. કથાની શરૂઆતમાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જે બાદ હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી રાષ્ટ્રગાન અને શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી પછી કથા શરૂ કરી હતી અને લોકોને હનુમાન ચરિત્ર કથાનું રસપાન કરાવ્યું હતું.
મહત્ત્વનું છે કે, આજે કથામાં મારા દાદાને મારો અન્નકૂટની થીમ પર શ્રીકષ્ટભંજનદેવ હનુમાન દાદાનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. આ માટે હજારો ભક્તો તેમના ઘરેથી દાદા માટે અન્નકુટ બનાવીને કથા સ્થળે લાવ્યા હતાં. જે અંતર્ગત મહિલા ભક્તોએ તેમના ઘરે બનાવેલી ભક્ત 3482 કિલો સુખડી, 108 કિલો બુંદીની ગદા 175 મણ કેળા, 51 તરબૂચ, 351 અન્નકૂટની, 182 જાતની મીઠાઈ, 34, 65 ચોકલેટ, 334 કિલો પ્રકારની વાનગી દાદાને અર્પણ કરી હતી.