શનિવાર-રવિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તા.08/09-04-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ દાદાને દાડમનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતી બપોરે 12:00 કલાકે કરવામાં આવેલ જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.