જુનાગઢ:કેશોદ શહેર ખાતે જલારામ મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે..
જેના ભાગરૂપે ગતરોજ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું…
જેમાં હોમિયોપેથિક કેમ્પ,હાડકા સાંધા ના દુખાવા માટેનો કેમ્પ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, ચામડીના રોગોનો કેમ્પ તેમજ જલારામ મંદિર દ્વારા વર્ષોથી યોજાતા મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ નું આયોજન કરવામાં આવેલું હતુ…
ગતરોજ યોજાયેલા વિવિધ કેમ્પમાં લગભગ ૩૦૦ જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા…
આ મેગા કેમ્પની શરૂઆતમાં કેમ્પ ના દાતા હિતેન્દ્રભાઈ ગોસ્વામી રમેશભાઈ તથા દિનેશભાઈ કાનાબાર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું…
ત્યારબાદ કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી મોતિયાના ઓપરેશન માટેના કેમ્પમાં 125 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલા હતા…
તેમજ આ કેમ્પ માં કેશોદ સરકારી દવાખાના ના ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા ફ્રી ઓફ સેવાઓ આપવામાં આવી હતી..
ચામડીના રોગ માટે આવકાર હોસ્પિટલના ડોક્ટર શ્યામ પાનસુરીયા તેમજ હાડકા અને સાંધાના દુખાવા માટે ડોક્ટર ઉમેશ ભટ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી ડાયાબિટીસ માટે સરકારી ડોક્ટર જીગ્નેશ ચાંદેગરા સાહેબ દ્વારા નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવેલી હતી..
જલારામ મંદિર દ્વારા યોજાતા મોતિયાના કેમ્પ દર માસના પહેલા અને ત્રીજા રવિવારે યોજવામાં આવે છે…
અત્યાર સુધીમાં 270 ઉપરાંત કેમ્પ યોજવામાં આવેલ છે… જેમાં 20,000 ઉપરાંત દર્દીઓ નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શક્યા છે… ગતરોજ યોજાયેલા આ મેગા કેમ્પમાં ભોજન ની વ્યવસ્થા કોયલાણા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હિતેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી હતી…
બ્યુરો રિપોર્ટ..નરેન્દ્ર કલાણીયા-જુનાગઢ